પુલવામામાં શહીદ થયેલા સૈનિકોને એક વર્ષ થતાં બૉલીવુડે આપી શ્રદ્ધાંજલિ

15 February, 2020 01:25 PM IST  |  New Delhi

પુલવામામાં શહીદ થયેલા સૈનિકોને એક વર્ષ થતાં બૉલીવુડે આપી શ્રદ્ધાંજલિ

પુલવામામાં શહીદ થયેલા સૈનિકો

એક વર્ષ પહેલા પુલવામામાં સૈનિકોનાં દળ પર નિર્દયતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. એ હુમલામાં ૪૦ સૈનિકો શહીદ થયા હતાં. એ ઘટનાને ગઈ કાલે એક વર્ષ થતાં એ ઘટના ફરી પાછી લોકોની આંખો સામે તરવરવા લાગી છે. આ માટે બૉલીવુડે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પુલવામામાં ગયા વર્ષે થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા અમારા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નાં વીર જવાનોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ.
- લતા મંગેશકર

તમે હંમેશાં અમારા દિલોમાં જીવંત રહેશો. તમને સલામ છે.
- જૉન એબ્રાહમ

પ્રેમનાં દિવસે એ લોકોને યાદ કરીએ જેમણે દેશ પ્રતિ અપાર પ્રેમ દેખાડ્યો હતો. આપણાં ભારતનાં વીરોનાં બલિદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. પુલવામા હુમલાનાં શહીદોને મારા નમન. અમે તમને નહીં ભુલી શકીશુ. દોષીઓને માફી પણ આપવામાં આવશે નહીં.
- અક્ષયકુમાર

આજનાં દિવસે એ લોકોને યાદ કરીએ જેમણે આપણી સલામતી માટે પોતાનાં જીવનું બલિદાન આપ્યુ હતું.
- અમિતાભ બચ્ચન

પુલવામા હુમલામાં ગયા વર્ષે શહીદ થયેલા તમામ વીરોને શત શત નમન તથા શ્રદ્ધાંજલિ. દેશ તેમનાં બલિદાનને કદી પણ નહીં ભુલે. જય હિન્દ.
- અનુપમ ખેર

akshay kumar Shah Rukh Khan pulwama district bollywood news entertaintment