અક્ષયકુમારની ધાર્મિક લાગણીઓમાં પરિવર્તન

16 September, 2012 09:09 AM IST  | 

અક્ષયકુમારની ધાર્મિક લાગણીઓમાં પરિવર્તન




જોકે તેની લેટેસ્ટ ફિલ્મ ‘ઓહ માય ગૉડ!’માં ભગવાનનું પાત્ર ભજવ્યા બાદ અક્ષયને લાગે છે તેની ધાર્મિક લાગણીઓમાં તેમ જ ધર્મ પ્રત્યેના તેના દૃષ્ટિકોણમાં ફેરફાર આવ્યો છે.

અક્ષયને લાગે છે કે હવે આ મુદ્દે તેનામાં ભારે બદલાવ આવ્યો છે. તેને લાગે છે કે ‘ઓહ માય ગૉડ!’ના શૂટિંગના પહેલા દિવસથી છેલ્લા દિવસ વચ્ચેના સમયગાળામાં તેની વિચારસરણી બદલાઈ છે અને હવે તે ધર્મના નામે જે ખર્ચ કરે છે એમાં ઘટાડો કરવા માગે છે. આ મુદ્દે વાત કરતાં અક્ષય કહે છે, ‘જોકે આ અંગત બાબત છે, પણ મને લાગે છે કે ફિલ્મમાં હું જે પાત્ર ભજવું છું અને એ જે વિચારધારાની સમજ આપે છે એનાથી મારી આંખો સંપૂર્ણપણે ખૂલી ગઈ છે. આને કારણે હવે મૂર્તિપૂજા તેમ જ પ્રાર્થના વિશેની મારી વિચારધારામાં ઘણું પરિવર્તન આવ્યું છે.’