24 October, 2011 08:23 PM IST |
જોકે અક્કીએ ફિલ્મમાં કામ કરવાની ના પાડતાં સૌથી વધુ મુશ્કેલી ફિલ્મના ડિરેક્ટર અનીસ બઝમીને થઈ છે. અત્યાર સુધી તેઓ આ ફિલ્મ માટે યોગ્ય સ્ક્રિપ્ટને લખવામાં સફળ નહોતા થયા અને જ્યારે તેમને સફળતા મળી છે ત્યારે હવે અક્કીએ પોતાનો આ નર્ણિય જાહેર કર્યો છે. અનીસ બઝમી આ કૉમેડી ફિલ્મ માટે યોગ્ય સ્ક્રિપ્ટ લખવા માગતા હતા અને એ કારણે જ તેમણે ઘણો સમય લીધો છે. આ સમય દરમ્યાન જ ઝઘડો થયા પછી અક્કીએ ના પાડી છે અને તેમણે ફિરોઝ નડિયાદવાલા સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે કે આ ફિલ્મનો ત્રીજો ભાગ તેઓ ડિરેક્ટ કરશે.
અનીસ બઝમી માને છે કે કોઈ પણ ‘હેરાફેરી’ ફિલ્મ અક્ષય વગર અધૂરી જ છે અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેના પાત્રને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. અનીસ બઝમી કહે છે, ‘આ સિરીઝ અને અક્ષય એકબીજાના પર્યાય છે. તેના વગર ફિલ્મ બની ન શકે.’ અનીસ બઝમીને લાગતું હતું કે સમય જતાં સમાધાન આવી જશે, પણ એક વખત કોઈ ફિલ્મમેકર મિત્ર સાથે ઝઘડો થયા પછી અક્કી તેની સાથે સમાધાન નથી કરતો.
અનીસ બઝમી કહે છે, ‘અક્ષય મારો ઘણો સારો મિત્ર છે અને ફેવરિટ ઍક્ટર પણ. અમે ‘વેલકમ’ અને ‘થૅન્ક યુ’માં સાથે કામ કર્યું છે. તેણે મને કહ્યું કે તે મારી સાથે કોઈ પણ ફિલ્મમાં કામ કરશે, પણ આ ‘હેરાફેરી ૩’માં નહીં.’