તાનાજી: ધ અનસંગ વૉરિયર બાદ સુહેલદેવના જીવન પર ફિલ્મ લઈને આવશે અજય દેવગન

26 December, 2019 04:31 PM IST  |  Mumbai Desk

તાનાજી: ધ અનસંગ વૉરિયર બાદ સુહેલદેવના જીવન પર ફિલ્મ લઈને આવશે અજય દેવગન

અજય દેવગન તેની ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ બાદ હવે રાજા સુહેલદેવ પર ફિલ્મ બનાવશે. સુહેલદેવે ૧૧મી સદીમાં ગઝનીના મેહમૂદ સાથે યુદ્ધ કર્યું હતું. મેહમૂદે ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર બાદ સુહેલદેવે એ મંદિરનું ફરીથી નિર્માણ કર્યું હતું. આ ફિલ્મ અમિત ત્રિપાઠીની બુક પર આધારિત છે. અજય દેવગને તેની સાથે મળીને બુકની સ્ટોરી પર આ ફિલ્મ બનાવવાની ચર્ચા કરી હતી. ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં અજય દેવગન સાથે કાજોલ પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

ajay devgn bollywood bollywood news bollywood gossips