અજયે આપી રિટર્ન ગિફ્ટ

22 October, 2012 05:50 AM IST  | 

અજયે આપી રિટર્ન ગિફ્ટ



બૉલીવુડમાં ભાગ્યે જ કોઈ બે કલાકારો વચ્ચે સારી મિત્રતા જોવા મળે છે, પણ અક્ષયકુમાર અને અજય દેવગનની જોડી આમાં અપવાદ છે. માનવામાં આવે છે કે આ મિત્રતાને કારણે જ અજયે પોતાની ‘સન ઑફ સરદાર’ સાથે અક્કીની અસિન સાથેની આગામી ફિલ્મ ‘ખિલાડી ૭૮૬’ના પ્રોમોને જોડવાની મંજૂરી આપી છે.

અજય અને અક્ષય વચ્ચેની મિત્રતાની વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘હકીકતમાં અજય અને અક્ષય વચ્ચે ખાસ સારા સંબંધો નહોતા. ‘સુહાગ’ના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે કોઈક મતભેદ થતાં તેમના સંબંધ બગડી ગયા હતા. આ સંજોગોમાં જ્યારે અજયે ‘સન ઑફ સરદાર’ બનાવવાની જાહેરાત કરી ત્યારે અક્ષયે અંગત વતુર્ળોમાં નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે આ ટાઇટલ તેની પાસે હતું. જ્યારે અજયને આ વાતની ખબર પડી ત્યારે તેણે તાબડતોબ અક્ષયનો સંપર્ક કરીને તેની પાસે આ ટાઇટલની માગણી કરી હતી. અજયે આ માગણી કરી એટલે તરત અક્ષયે બીજા દિવસે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મોકલીને પોતાની દરિયાદિલીનો પરિચય આપ્યો હતો.’

જોકે સલમાન ખાનની ‘દબંગ ૨’નો પ્રોમો પણ ‘સન ઑફ સરદાર’ સાથે જોડવામાં આવ્યો છે.