ઐશ્વર્યા રાયે ઘાટકોપરમાં કર્યો ટ્રાફિક જૅમ

10 November, 2014 04:02 AM IST  | 

ઐશ્વર્યા રાયે ઘાટકોપરમાં કર્યો ટ્રાફિક જૅમ







શનિવારે ઘાટકોપર (ઈસ્ટ)માં સુધરાઈની ફ્ વૉર્ડ-ઑફિસ પાસે નવા ખોલવામાં આવેલા જ્વેલર્સના શોરૂમના ઉદ્ઘાટન માટે ઐશ્વર્યા રાય બપોરે ત્રણ વાગ્યે આવવાની હતી એવી જાહેરાત થઈ હતી. આ વાત વાયુવેગે પ્રસરી જતાં તેને જોવા માટે બપોરે એક વાગ્યાથી લોકોની ભીડ ઊમટવાનું શરૂ થઈ ગયું હતું. દુકાનની સામે તેમ જ રેલવે-સ્ટેશનને અડીને આવેલા સ્કાયવૉક પર લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. લોકોની ભીડને કારણે સ્ટેશનની બહારના જવાહર રોડની સાથે જ પ્ઞ્ રોડ પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. લગભગ બે કલાક વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. લોકોની ભીડને કાબૂમાં લાવવા માટે પોલીસને પણ નાકે દમ આવી ગયો હતો.

તસવીર: પી.સૃષ્ટિ