કૅન્સર બાદ તોરબાઝ લઈને આવ્યો સંજય દત્ત

22 November, 2020 07:49 PM IST  |  Mumbai | Agencies

કૅન્સર બાદ તોરબાઝ લઈને આવ્યો સંજય દત્ત

સંંજય દત્ત

સંજય દત્તે તમામ લોકોનો આભાર માન્યો છે જેમણે તેમને પ્રેમ અને સાથસહકાર આપ્યો છે. થોડા મહિના પહેલાં જ તેને કૅન્સર થયું હતું અને હવે ટ્રીટમેન્ટ બાદ તે કૅન્સર-ફ્રી બની ગયો છે. તેની ફિલ્મ ‘તોરબાઝ’ વિડિયો સ્ટ્રિમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. લોકોનો આભાર માનતાં સંજય દત્તે કહ્યું હતું કે ‘છેલ્લા થોડા મહિનામાં મને લોકોનો જે પ્રેમ અને સપોર્ટ મળ્યો છે એનો હું આભારી છું. હું ખુશ છું કે હું આ પાવરફુલ ફિલ્મ સાથે પાછો ફરી રહ્યો છું. મને એ વાતની પણ ખુશી છે કે પૂરા વિશ્વના દર્શકો સુધી આ ફિલ્મ પહોંચશે, જેની સ્ટોરી સીમા સાથે સંબંધિત છે.’

sanjay dutt bollywood bollywood news bollywood gossips