31 March, 2020 06:24 PM IST | New Delhi | Agencies
અદનાન સમી
કોરોના વાઇરસના ફેલાવાને કારણે સિંગર અદનાન સમીએ સૌને ડોનેટ કરવાની વિનંતી કરી છે. તેણે હાલમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની પ્રશંસા કરી હતી. એ વિશે ટ્વિટર પર અદનાન સમીએ ટ્વીટ કર્યું હતું કે ‘આ સમયની માગ છે અને ખૂબ જ અગત્યની કામગીરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. આપણે સૌએ આ ઘડીમાં યોગદાન આપવું જોઈએ. હું પણ આ બીમારીનો ભોગ બનેલા લોકોને મદદ કરી રહ્યો છું. હું તમને સૌને અપીલ કરું છું કે તમે પણ ચીફ મિનિસ્ટર રિલીફ ફન્ડમાં યોગદાન આપો.’