DDLJની બુકમાં આદિત્ય ચોપડા જણાવશે પડદા પાછળની વાતો

04 December, 2014 05:52 AM IST  | 

DDLJની બુકમાં આદિત્ય ચોપડા જણાવશે પડદા પાછળની વાતો

આ અવસરે આ ફિલ્મના ડિરેકટર આદિત્ય ચોપડાએ ફિલ્મના મેકિંગ વિશે લેખિકા નસરીન મુન્ની કબીર સાથે કરેલી વાતોની બુક ‘આદિત્ય ચોપડા રિલિવ્સ દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ રિલીઝ કરવામાં આવશે. ૧૯૯૦ના દાયકામાં બૉલીવુડમાં સારી અને સફળ ફિલ્મોનો દુકાળ હતો ત્યારે સિમ્પલ લવ-સ્ટોરી ધરાવતી આ ફિલ્મે કેવી રીતે અભૂતપૂર્વ સફળતા મેળવી એની મજેદાર અને પ્રેરણાત્મક વાતો આદિત્યએ આ લેખિકા સાથે કરી હતી જે આ બુક દ્વારા સૌને જાણવા મળશે.

શાહરુખ અને કાજોલની તરોતાજા ઍક્ટિંગથી તરબતર આ ફિલ્મથી જ દિગ્ગજ ફિલ્મકાર યશ ચોપડાના પુત્ર આદિત્યએ ફિલ્મ-ડિરેક્શનની શરૂઆત કરી હતી અને તેના પડદા પાછળના અંગત અનુભવો આ બુકમાં જાહેર થશે એમ એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું. નસરીન આ પહેલાં ‘ગુરુ દત્ત : અ લાઇફ ઇન સિનેમા’, ‘ટૉકિંગ ફિલ્મ્સ ઍન્ડ ટૉકિંગ સૉન્ગ્સ વિથ જાવેદ અખ્તર’, એ. આર. રહમાન : ધ સ્પિરિટ ઑફ મ્યુઝિક’ અને ‘લતા મંગેશકર : ઇન હર ઓન વૉઇસ’ જેવી બુક્સ લખી ચૂક્યાં છે.