ઇટલીથી પાછાં આવી રહેલાં આદિત્ય ને રાનીના બંગલા પર સિક્યૉરિટી ટાઇટ કરાઈ

05 May, 2014 07:08 AM IST  | 

ઇટલીથી પાછાં આવી રહેલાં આદિત્ય ને રાનીના બંગલા પર સિક્યૉરિટી ટાઇટ કરાઈ


સિક્યૉરિટી વધારવાનું કારણ એ છે કે ચોપડા અને મુખરજી ફૅમિલીમાંથી કોઈ નથી ઇચ્છતું કે મૅરેજ પછીના તે બન્નેના ફોટોગ્રાફ્સ કોઈ પાડે. આ જ કારણે આદિત્ય અને રાનીના બંગલા પર અત્યારે સિક્યૉરિટી ટાઇટ કરી દેવામાં આવી છે. એની સાથોસાથ બંગલાના એãક્સ્ટરિયરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ચોપડા હાઉસની દીવાલો ઊંચી છે અને એ પછી પણ અંદરના ભાગમાં વાઇટ કલરના ઊંચા કપડાથી આડશ ઊભી કરી દેવામાં આવી છે. સિક્યૉરિટી, ઊંચી દીવાલ અને દીવાલની પાછળ બંગલાને ઢાંકી દે એવી કર્ટન. સ્વાભાવિક રીતે હવે ફોટોગ્રાફરોને રાની-આદિત્યના ફોટોગ્રાફ્સ લેવા માટે ઍરપોર્ટ પર જ મદાર રાખવો પડશે.

બૉલીવુડના કોઈ પણ સ્ટારનાં મૅરેજ થાય એટલે તરત જ લગ્ન પછીના તેના ફોટોગ્રાફ્સ માટે મહેનત કરવામાં આવતી હોય છે. મૅરેજ સમયના ફોટોગ્રાફ્સ જાહેર પણ થઈ જતા હોય છે, પરંતુ ૨૧ એપ્રિલે ઇટલીમાં કોઈ જાતની તૈયારી વિના ઘડિયાં લગ્ન કરી લેનારાં આદિત્ય અને રાનીનાં મૅરેજ પછી હજી સુધી એક પણ ફોટોગ્રાફ પબ્લિશ થયો નથી અને એ ન થાય એવું કપલ બહુ તીવþતાથી ઇચ્છી રહ્યું છે, જેને કારણે આ બધી અરેન્જમેન્ટ કરવામાં આવી છે. આ વીકમાં ઇટલીથી નવદંપતી ઘરે આવી રહ્યું છે ત્યારે તેમને વધાવવા માટેની તૈયારીઓ ચાલતી હોય એવું પણ ચોપડા હાઉસમાં નથી દેખાતું.