13 February, 2021 01:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક્ટ્રેસ દિયા મિર્ઝા
બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા રિલેશનશિપ રહેવાના અને બ્રેકઅપના સમાચાર સામે આવતા રહે છે. આ દરમિયાન હવે એક્ટ્રેસ દિયા મિર્ઝા (Dia Mirza)ના ફૅન્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં થોડા સમય પહેલા દિયા પોતાના છૂટાછેડાના સમાચારોને લઈને ચર્ચામાં રહી હતી. તેમ જ હવે સમાચાર આવી રહ્યા છે તે ફરીથી લગ્નના બંધનમાં બંધાશે. આ સમાચાર સાંભળીને તેના ફૅન્સ ઘણા ખુશ છે.
SpotboyEમાં છપાયેલી સમાચાર અનુસાર દિયા મિર્ઝા બે દિવસ પછી એટલે 15 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવા જઈ રહી છે. દિયા બીજા કોઈ સાથે નહીં, પરંતુ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. સમાચાર અનુસાર દિયા લગ્ન તેમના ખાસ મિત્રો અને પરિવાર વચ્ચે રહેશે. તેમ જ લગ્નને પૂરી રીતે પ્રાઈવેટ રાખવામાં આવશે. લગ્નને લઈને બન્ને પરિવાર ઘણા ખુશ છે અને લગ્નની તૈયારીઓમાં એકત્રિત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિયા મિર્ઝા અને વૈભવ રેખી બન્ને લૉકડાઉન દરમિયાન જ એકબીજાની નજીક આવ્યા હતા. બન્નેએ લૉકડાઉનમાં એક સાથે સારો સમય પસાર કર્યો અને એકબીજાને સમજ્યા. તેમ જ બન્નેએ પોતાના સંબંધોને નામ આપવા માટે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. વૈભવની વાત કરીએ તો તેઓ મુંબઈના બિઝનેસમેન છે અને ઈન્વેસ્ટર છે. તેમ જ ફિલ્મી સ્ટાર્સ સાથે પણ તેમના સારા સંબંધ છે.
તમને જણાવી દઈએ કે વૈભવ રેખી પહેલા દિયા મિર્ઝાએ સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 11 વર્ષ બાદ બન્નેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. દિયા મિર્ઝાએ સાહિલથી અલગ થવાની ઘોષણા 2019માં સોશિયલ મીડિયા પર કરી હતી. દિયા અને સાહિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને એકબીજા માટે પોતાની ફીલિંગ્સ પણ શૅર કરી હતી. તેમણે લખ્યું હતું કે ભલે તેઓ અલગ થઈ રહ્યા છે પરંતુ તેમની વચ્ચેનો સંબંધ હંમેશા સૌમ્ય રહેશે. અમે હંમેશા સારા મિત્ર બનીને રહીશું અને એકબીજાનું સમ્માન કરીશું. તેમ જ હવે વૈભવ સાથે દિયાના આ બીજા લગ્ન રહેશે.