07 May, 2021 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિલાષા પાટિલ
હિન્દી અને મરાઠી ફિલ્મોની અદાકારા અભિલાષા પાટીલનું કોરોનાને કારણે અવસાન થયું છે. તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ વારાણસીમાં કરી રહી હતી. ત્યાંથી મુંબઈ પાછી ફરતાં તે કોરોનાનો શિકાર થઈ ગઈ હતી. તેણે શરૂઆતમાં ઘરે જ સારવાર કરી હતી. અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હોવાથી તેને આઇસીયુમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. મંગળવારે તેની તબિયત વધુ બગડી ગઈ હતી. તેના નિધનથી હિન્દી અને મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. સૌકોઈ તેને સોશ્યલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેણે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘મલાલ’, ‘ગુડ ન્યુઝ’ અને ‘છિછોરે’માં કામ કર્યું હતું. સાથે જ મરાઠી ફિલ્મો જેવી કે ‘તુઝ્યા માઝ્યા અરેન્જ મૅરેજ’, ‘બાયકો દેતા કા બાયકો’ અને ‘પીપ્સી’માં જોવા મળી હતી.