Manoj Bajpayeeના માતા ગીતા દેવીનું લાંબી બિમારી બાદ 80 વર્ષની વયે નિધન

08 December, 2022 03:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગીતા દેવી(Geeta Devi)છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બિમારીથી પીડિત હતાં.

મનોજ બાજપેયી

બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજેપયી(Manoj Bajpayee Mother)ના માતા ગીતા દેવીનું નિધન થયું છે. લાંબી બિમારીનો સામનો કર્યા બાદ આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ઉલ્લેખનીય છે કે ગીતા દેવી(Geeta Devi)છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બિમારીથી પીડિત હતાં, ત્યાર બાદ તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરલામાં આવ્યાં હતાં. વિતેલા દિવસો દરમિયાન તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ આજે સવારે તેમની તબિયત વધારે લથડી પડી અને 80 વર્ષની વયે તેમણે પ્રાણ છોડી દીધા હતાં. 

માતાના નિધન બાદ મનોજ બાજપેયી અને તેમનો પરિવાર શોકમાં છે. અભિનેતા પોતાના પરિવારને કપરી સ્થિતિમાં સંભાળી રહ્યાં છે. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ગીતા દેવીની સારવાર દિલ્હીની પુષ્પાંજલિ મેડિક સેન્ટર અને મેક્સ સુપરસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ચાલી રહી હતી. જો કે, આ દરમિયાન પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અભિનેતા પોતાની માતાને મળવા હોસ્પિટલ જતા હતાં. 

મનોજ બાજપેયીના માતાના નિધનની જાણકારી અશોક પંડિતે ટ્વિટ કરી આપી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે,`મનોજ બાજપેયી આપની આદરણિય માતાના દુ:ખદ નિધન પર તમને અને તમારા પરિવારને અમારી તરફથી હાર્દિક સંવેદનાઓ, ઓમ શાંતિ.` જણાવી દઈએ કે અભિનેતા કેટલાક વર્ષો પહેલા પોતાના પિતાને ગૂમાવી ચુક્યા છે. તે પોતાના માતા-પિતાની ખુબ જ નજીક હતાં. કેટલીય વાર તે પોતાની માતાની વાતોને વાગોળતાં હતાં. 

manoj bajpayee bollywood news entertainment news