અભિષેક બચ્ચને કોરોનાને આપી માત, 28 દિવસ પછી હૉસ્પિટલમાંથી મળશે રજા

08 August, 2020 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિષેક બચ્ચને કોરોનાને આપી માત, 28 દિવસ પછી હૉસ્પિટલમાંથી મળશે રજા

અભિષેક બચ્ચન

નાણાવટી હૉસ્પિટલમાં છેલ્લા 28 દિવસથી સારવાર લઈ રહેલા અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નો કોરોના વાયરસ (COVID-19) રિપોર્ટ નેગેટીવ આવતા બચ્ચન પરિવારમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. અભિનેતાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આજે તેને હૉસ્પિટલમાંથી રજા મળવાની છે.

અભિષેક બચ્ચને ટ્વીટર પર લખ્યું છે કે, વચન વચન હોય છે. આજે બપોરે મારો COVID-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને કહ્યું હતું કે હું આને હરાવી દઈશ. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરવા બદલ તમારો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફનો ઘણો આભાર.

ઈન્સ્ટાગ્રામ પર ડે કૅર બોર્ડની તસવીર શૅર કરીને અભિનેતાએ લખ્યું છે કે, ઘરે જવા માટે હું બહુ ખુશ છું.

તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચનને 28 દિવસ પછી હૉસ્પિટલમાંથી રજા મળશે. 11 જૂલાઈના રોજ જુનિયર બચ્ચનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ થયો હતો.

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips abhishek bachchan