'તનુ વેડ્સ મનુ'ના નિર્દેશક આનંદ એલ રૉય કોરોના સંક્રમિત

31 December, 2020 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

'તનુ વેડ્સ મનુ'ના નિર્દેશક આનંદ એલ રૉય કોરોના સંક્રમિત

(ફાઇલ ફોટો)

ફિલ્મ નિર્દેશક આનંદ એલ રૉય કોરોના સંક્રમિત થઈ ગયા છે જેના પછી તેમણે પોતાને આઇસોલેટ કરી લીધું છે. આનંદ એલ રૉયે એક ટ્વીટ કરીને આની માહિતી આપી છે. તેમણે બુધવારે જ ફિલ્મ અતરંગી રેનું શૂટ પૂરું કર્યું છે.

49 વર્ષીય નિર્દેશકે ટ્વીટ કરીને જણાવ્યું કે, "આજે મારો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. માત્ર તમને જણાવવા માગું છું કે મને કોઈ લક્ષણો નથી અને હું સ્વસ્થ છું. અધિકારીઓના નિર્દેશ પછી મેં પોતાને ક્વૉરંટીન કરી લીધું છે. જો કોઇપણ છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે તો તેમને સલાહ છે કે તે પોતાને ક્વૉરંટીન કરી લે અને સરકાર દ્વારા જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરે. સમર્થન માટે આભાર."

જણાવવાનું કે આ પહેલા આનંદ એલ રૉયની ફિલ્મ અતરંગી રેની રેપઅપ પાર્ટીની અનેક તસવીરો સામે આવી હતી. જેમાં આનંદ એલ રૉય સાથે સારા અલી ખાન, ધનુષ અને ક્રૂ મેમ્બર હતા.

આનંદ એલ રૉયે બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત નિર્દેશક તરીકે વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ સ્ટ્રેન્જર્સ દ્વારા કરી હતી. તેમની મુખ્ય ફિલ્મો તનુ વેડ્સ મનુ, રાંઝણા, તનુ વેડ્સ મનુઃ રિટર્ન્સ અને ઝીરો છે.

bollywood bollywood news bollywood gossips aanand l rai