01 September, 2012 10:01 AM IST |
‘ખાન્સ ક્વેસ્ટ’ એટલે કે ખાનની શોધ એવા ટાઇટલ નીચે સવાલ કરવામાં આવ્યો છે કે શું એક ઍક્ટર દેશને બદલી શકશે? હકીકતમાં આમિરના ૧૩ એપિસોડના ટીવી-શો ‘સત્યમેવ જયતે’એ સમગ્ર દેશમાં તેમ જ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર ચર્ચા જગાવી હતી જેના કારણે આખી દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. આ શોમાં કન્યાભ્રૂણહત્યા તેમ જ શિક્ષણ અને બીજા અનેક સામાજિક મુદ્દાઓની હૃદયસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલાં ‘ટાઇમ’ના કવર પર સચિન તેન્ડુલકર, સાનિયા મિર્ઝા, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમ જ નરેન્દ્ર મોદી દેખાઈ ચૂક્યાં છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તો ‘ટાઇમ’ મૅગેઝિને ત્રણ વાર પોતાના કવર પર ચમકાવ્યા હતા.