આમિર ખાન ચમક્યો ‘ટાઇમ’ના કવર પર

01 September, 2012 10:01 AM IST  | 

આમિર ખાન ચમક્યો ‘ટાઇમ’ના કવર પર

 

 

‘ખાન્સ ક્વેસ્ટ’ એટલે કે ખાનની શોધ એવા ટાઇટલ નીચે સવાલ કરવામાં આવ્યો છે કે શું એક ઍક્ટર દેશને બદલી શકશે? હકીકતમાં આમિરના ૧૩ એપિસોડના ટીવી-શો ‘સત્યમેવ જયતે’એ સમગ્ર દેશમાં તેમ જ સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પર ચર્ચા જગાવી હતી જેના કારણે આખી દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે. આ શોમાં કન્યાભ્રૂણહત્યા તેમ જ શિક્ષણ અને બીજા અનેક સામાજિક મુદ્દાઓની હૃદયસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલાં ‘ટાઇમ’ના કવર પર સચિન તેન્ડુલકર, સાનિયા મિર્ઝા, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તેમ જ નરેન્દ્ર મોદી દેખાઈ ચૂક્યાં છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તો ‘ટાઇમ’ મૅગેઝિને ત્રણ વાર પોતાના કવર પર ચમકાવ્યા હતા.