આમિર ખાનને મરાઠી શિખવનારા ટીચરનું નિધન

03 September, 2020 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આમિર ખાનને મરાઠી શિખવનારા ટીચરનું નિધન

ફોટો સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

અભિનેતા આમિર ખાન (Aamir Khan)ને જે ટીચર મરાઠી ભાષા શિખડાવતા હતા તેમનું નિધન થતા તે ખુબ જ દુખી થયો છે. આમિર ખાને ટ્વીટ કરીને આ દુખી સમાચારની અપડેટ આપીને પોતાની લાગણી પણ વ્યક્ત કરી હતી.

આમિર ખાને ટ્વીટ કર્યું કે, હું ખૂબ જ દુખી છું એ સાંભળીને કે મારા મરાઠી સર સુહાસ લિમયેનું ગઈ કાલે નિધન થયું છે. સર તમે મારા બેસ્ટ ટીચર્સમાંના એક હતા. તમારી સાથેના દરેક ક્ષણ મે એન્જોઈ કરી છે. તમારી આતુરતા અને શીખવવાની ઈચ્છા એ જ તમને એક શ્રેષ્ઠ શિક્ષક બનાવે છે. તમારી સાથે વિતાવેલા ચાર વર્ષ મારા માટે હંમેશા યાદગાર રહેશે. આપણે વિતાવેલી દરેક મુમેન્ટ મારી યાદોમાં જોડાઈ છે. તમે મને મરાઠીની સાથે ગણુ બધુ શિખવ્યું છે. થેન્ક્યું, તમને ખૂબ મીસ કરીશું સર.   

આમિર ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 32 વર્ષ પૂરા થયા છે. કયામત સે કયામતથી તેમણે કારર્કીદીની શરૂઆત કરી હતી. ક્રિસમસ 2021માં તેની લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ આવવાની છે. તેમ જ ગુલ્શન કુમારની બાયોપિક અને વિક્રમ વેધાની રિમેકમાં પણ જોવા મળશે. 

aamir khan twitter