શિકારાની સ્ટોરી પર પ્રકાશ પાડવાની ખૂબ જરૂર છે : આમિર

08 February, 2020 12:44 PM IST  |  Mumbai

શિકારાની સ્ટોરી પર પ્રકાશ પાડવાની ખૂબ જરૂર છે : આમિર

આમિર ખાન

આમિર ખાને જણાવ્યું હતું કે ‘શિકારા’ની સ્ટોરી વિશે લોકોને માહિતી આપવી ખૂબ જરૂરી છે. વિધુ વિનોદ ચોપડાની આ ફિલ્મ ગઈ કાલે જ રિલીઝ થઈ છે. સ્ટોરીમાં કાશ્મીરી પંડિતોની વ્યથાની વચ્ચે લવ-સ્ટોરીને દેખાડવામાં આવી છે. ૧૯૮૭થી ૧૯૯૦ દરમ્યાન ચાલેલી હિંસામાં તેમને કાશ્મીરમાંથી ખદેડવામાં આવ્યા હતાં. આજ દિન સુધી તેમનું કાશ્મીરમાં પુનર્વસન થઈ શક્યુ નથી. ફિલ્મને શુભકામના આપતાં ટ્‍‍વિટર પર આમિર ખાને ટ્વીટ કર્યું હતું કે ‘વિનોદ તમને બધાને શુભેચ્છા. આપણા ઇતિહાસની એક ટ્રેજિક સ્ટોરીને ‘શિકારા’માં દેખાડવામાં આવી છે. આ સ્ટોરી લોકો સમક્ષ લાવવી ખૂબ જરૂરી પણ છે.’

aamir khan bollywood news entertaintment