લોટની અંદર 15-15 હજાર રૂપિયા આપ્યા હોવાની અફવા છે: આમિર

05 May, 2020 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોટની અંદર 15-15 હજાર રૂપિયા આપ્યા હોવાની અફવા છે: આમિર

આમિર ખાને એ વાતને રદિયો આપ્યો છે કે તેણે લોટની બૅગમાં જરૂરતમંદ લોકોને પૈસા આપ્યા છે. તાજેતરમાં જ એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં દેખાડવામાં આવ્યુ છે કે એક ટ્રક ભરીને લોટની થેલીઓ એક અંતરિયાળ ગામમાં જાય છે. એ થેલીમાં લોકોને લોટની સાથે જ 15 હજાર રૂપિયા પણ મળી આવ્યા છે. આ મદદ આમિર ખાને કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ તમામને નરી અફવા જણાવતાં ટ્વિટર પર આમિર ખાને ટ્વીટ કર્યું હતું કે ‘હું એ વ્યક્તિ નથી જેણે લોટની થેલીમાં પૈસા રાખ્યા છે. આ પૂરી રીતે ખોટી સ્ટોરી છે. અથવા તો એમ પણ બની શકે કે રૉબિનહુડ પોતાની ઓળખ નથી આપવા માગતો. સલામત રહો. સૌને પ્રેમ.’

જરૂરતમંદ લોકોને રૅશન મોકલ્યું સલમાને

સલમાન ખાને આ લૉકડાઉનમાં જરૂરતમંદ લોકોને રૅશન મોકલ્યું છે. તેણે અગાઉ પણ ઘણી રીતે ઘણી વ્યક્તિઓને મદદ કરી છે. સલમાન હાલમાં પનવેલનાં તેના ફાર્મહાઉસમાં ફૅમિલી સાથે છે. તેણે એક વિડિયો શૅર કર્યો છ જેમાં ગાડીઓ ભરીને તેના ફાર્મહાઉસમાંથી રૅશન મોકલવામાં આવી રહ્યું છે. એ દરમ્યાન તેની સાથે તેની ફૅમિલી પણ હાજર છે. સલમાન હાથમાં રૅશનની બૅગ લઈને ઊભો છે. એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે ‘સૌએ આપેલા યોગદાન માટે આભાર. બધાને થૅન્ક યુ.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news aamir khan Salman Khan