આમિર ખાને જતી કરી ૧૫૦ કરોડ રૂપિયાની જાહેરખબરો

20 October, 2012 06:51 AM IST  | 

આમિર ખાને જતી કરી ૧૫૦ કરોડ રૂપિયાની જાહેરખબરો



બૉલીવુડમાં એવા ઢગલાબંધ સ્ટાર્સ છે જેઓ પૈસા કમાવાની એકેય તક નથી છોડતા. જોકે આમિર આ બધાથી તદ્દન અલગ છે. તાજેતરમાં તેણે પોતાના પહેલા ટેલિવિઝન-શો ‘સત્યમેવ જયતે’ના લૉન્ચિંગ વખતે પોતાની ઇમેજ જળવાઈ રહે એ માટે લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની બ્રૅન્ડ-એન્ર્ડોસમેન્ટ્સની ઑફર્સનો ઇનકાર કર્યો હોવાની ખબર પડી છે.

એ વિશે વાત કરતાં આમિરની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘આમિર નહોતો ઇચ્છતો કે ‘સત્યમેવ જયતે’ના લૉન્ચિંગ વખતે તેની જાહેરાતો આ શોમાં વચ્ચે દેખાડવામાં આવે અને એટલે જ તેણે પોતાની આ ઇચ્છા પૂરી કરવા માટે લગભગ ૧૫૦ કરોડ રૂપિયાની બ્રૅન્ડ-એન્ર્ડોસમેન્ટ્સની ઑફર્સનો ઇનકાર કર્યો હતો. આમિર હવે પોતાની ઇમેજનું મેકઓવર કરીને સામાજિક કાર્યો તરફ વધુ ધ્યાન કેãન્દ્રત કરવા માગે છે. હાલમાં તે માત્ર ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કૅમ્પેનની બ્રૅન્ડ જ એન્ર્ડોસ કરે છે. હજી ઑગસ્ટ સુધી તેની પાસે કેટલાંક એન્ર્ડોસમેન્ટ્સ હતાં, પણ તેના બ્રૅન્ડ-એન્ર્ડોસમેન્ટના બધા કૉન્ટ્રૅક્ટ પૂરા થઈ ગયા છે. તેણે કોઈ જ કૉન્ટ્રૅક્ટ રિન્યુ નથી કર્યો.’

આમિરે હવે ‘સત્યમેવ જયતે’ની બીજી સીઝન માટે કામ શરૂ કરી દીધું છે. તેણે સ્વીકાર્યું છે કે એ વાત સાચી છે કે મેં મારી બધી એન્ર્ડોસમેન્ટ-ડીલ કૅન્સલ કરી છે.

આમિર મમ્મીને લઈને હજ કરવા ઊપડ્યો

ગુરુવારે રાત્રે આમિર ખાન પોતાની માતા ઝીનત સાથે હજયાત્રાએ જવા માટે રવાના થઈ ગયો છે. આમિરની આ યાત્રા વિશે તેની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘આમિરે તેની માતાને આ વર્ષે હજયાત્રાએ લઈ જવાનું પ્રૉમિસ કર્યું હતું. એ માટે તે બે અઠવાડિયાં સુધી મુંબઈની બહાર રહેશે. આમિર અને તેની માતા એક ગ્રુપમાં ગયાં છે. તેઓ ૨૨ ઑક્ટોબરે મીના જવા નીકળશે અને ૨૬ ઑક્ટોબરે મક્કામાં તવાફ-એ-ઝિયારતની વિધિ કરશે. ત્યાર બાદ ૨૯ ઑક્ટોબરે મદીના જવા નીકળશે અને બીજી નવેમ્બરે મુંબઈ આવવાની ફ્લાઇટ પકડશે.’