01 November, 2020 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
અભિનેતા આમિર ખાન (Amir Khan) વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. અભિનેતા તેની ફિલ્મ લાલસિંહ ચડ્ઢા (LalSingh Chaddha)નું શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગના ભાગરૂપ તે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ફિલ્મના કેટલાક સીન શૂટ કરી રહ્યો હતો.
જોકે શૂટિંગ કરવાને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. લોનીના ભાજપના વિધાનસભ્ય નંદ કિશોર ગુર્જરે આમિર ખાન ઉપર કોવિડ-19 પ્રોટોકોલનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો છે, એટલું જ નહીં પણ ભાજપ ગુર્જરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
ગાઝિયાબાદમાં આમિર ખાનના ફૅન્સ તેને મળવા માટે તેમના શૂટિંગ લોકેશન ઉપર પહોંચી ગયા હતા. આમિર ખાને પણ તે લોકો સાથે મુલાકાત કરી હતી. પરંતુ તે સમયે અભિનેતાએ કોરાના ગાઈડલાઈન્સનું પાલન કર્યું નહોતું. ચાહકોને મળતા સમયે આમિર ખાને ન તો માસ્ક પહેર્યું છે કે ન તેમના ચાહકોએ. પરિણામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.