આમિર-કિરણે પ્લાન ફેરવ્યો, ઍનિવર્સરી ઊજવવા જશે પંચગની

25 December, 2013 06:11 AM IST  | 

આમિર-કિરણે પ્લાન ફેરવ્યો, ઍનિવર્સરી ઊજવવા જશે પંચગની


જોકે આ વર્ષે આમિર ‘ધૂમ:૩’ના પ્રોગ્રેસ-રિપોર્ટ પર જાતે નજર રાખવા માગતો હોવાથી તેણે મુંબઈમાં જ ઍનિવર્સરી મનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ રિલીઝ થયાના ત્રણ દિવસમાં જ ‘ધૂમ:૩’એ ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો હોવાથી હવે આમિર નિશ્ચિંત થઈ ગયો છે અને તેણે ફરી પાછો ઍનિવર્સરી અને ન્યુ યર પોતાના નજીકના ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે પંચગનીમાં જ સેલિબ્રેટ કરવાનો પ્લાન કયોર્ છે. આમિરની ઍનિવર્સરી ૨૮ ડિસેમ્બરે છે એટલે આમિર ૨૭મીએ પનવેલમાં સલમાન ખાનના બર્થ-ડેની પાર્ટી સેલિબ્રેટ કર્યા બાદ પંચગની જશે, જ્યારે કિરણ ડાયરેક્ટ આમિરને પંચગનીમાં મળશે.