ZNMDની સિક્વલ બનશે પણ...

12 February, 2019 02:22 PM IST  | 

ZNMDની સિક્વલ બનશે પણ...

જિંદગી ના મિલેગી દોબારા

ઝોયા અખ્તરે પોતાની હિટ ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારાની સિક્વલ બનાવવાની તૈયારી દર્શાવી છે. જો કે, આ સિક્વલ બનાવવા માટે ઝોયા અખ્તરે એક શરત રાખી છે.

એક ઈવેન્ટ દરમિયાન જ્યારે ઝોયા અખ્તરને જિંદગી ન મિલેગી દોબારાની સિક્વલ અંગે સવાલ પૂછાયો ત્યારે તેમણે કહ્યું કે મારી પણ ઈચ્છા છે. ફિલ્મના બધા જ એક્ટર્સ સાથે ફરી કામ કરવા ઈચ્છું છું. મેં લાંબા સમયથી ઋતિક રોશન અને ફરહાન અખ્તર સાથે ZNMD બાદ કામ જ નથી કર્યું. મારે આ બધા જ એક્ટર્સ સાથે કામ કરવું છે, પરંતુ સિક્વલ તરીકે નહીં.

જિંદગી ના મિલેગી દોબારા

ઝોયા અખ્તરનું કહેવું ચે કે મારે ફક્ત પૈસા માટે આ ફિલ્મ નથી બનાવવી. જો સ્ટોરી સારી હશે તો જ હું આગળ કામ કરીશ. મારે ફક્ત સિક્વલ નથી બનાવવી. મારે એવી ફિલ્મ બનાવવી છે કે જેમણે પહેલો ભાગ ન જોયો હોય તે બીજો ભાગ જુએ તો પણ સમજાઈ જાય. મને ફ્રેંચાઈઝ નથી કરવી. કંઈક મારી પાસે કહેવાની વાત હોય, ત્યારે કહીશ. કારણકે તે મારી માટે ખૂબ જ સ્પેશિયલ હશે.

આ પણ વાંચો : Narendra Modi Biopic:આ ટીવી એક્ટ્રેસ કરશે જશોદાબેનનો રોલ

ઉલ્લેખનીય છે કે હાલ ઝોયા અખ્તર ગલી બૉયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગલી બૉય ધારાવીના અંડરગ્રાઉન્ડ રેપર્સની જિંદગી પર આધારિત ફિલ્મ છે.

bollywood bollywood events bollywood gossips bollywood news zoya akhtar zindagi na milegi dobara