અલી અબ્બાસ ઝફરે કહ્યું હું પૈસા વસૂલ ફિલ્મો બનાવતો રહીશ

30 June, 2019 12:05 PM IST  |  મુંબઈ

અલી અબ્બાસ ઝફરે કહ્યું હું પૈસા વસૂલ ફિલ્મો બનાવતો રહીશ

અલી અબ્બાસ ઝફર

અલી અબ્બાસ ઝફરનું કહેવું છે કે તે પૈસા વસુલ ફિલ્મ બનાવવાને એન્જૉય કરે છે. સલમાન ખાન સાથેની તેની ‘ભારત’એ ૨૦૯.૧૬ કરોડનો બિઝનેસ કર્યો છે. અલીની બે ફિલ્મો ‘ટાઇગર ઝીન્દા હૈ’ અને ‘સુલતાન’એ ૩૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. પોતાની ફિલ્મોને મળેલી સફળતાને લઈને અલીએ કહ્યું હતું કે ‘દર્શકો તરફથી મળેલાં પ્રેમથી ખૂબ ખુશ છું. લોકો દ્વારા મળતી પ્રશંસા મારા દિલને સ્પર્શી ગઈ છે અને મનોરંજન આપતી ફિલ્મો બનાવવા માટે મને પ્રોત્સાહન મળે છે. દેશનાં લોકો થિયેટર્સમાં જઈને ફિલ્મો જુએ, એન્જૉય કરે અને એને પૈસા વસુલ ફિલ્મ કહે તો મને ઘણી ખુશી મળે છે.

આ પણ વાંચો : આર્ટિકલ 15ના વિરોધમાં બ્રાહ્મણ સમાજે કાનપુરમાં હોબાળો મચાવ્યો

હું જ્યારે ફિલ્મ બનાવવાનું વિચારું છું ત્યારે કોઈ રૅકોર્ડ્‍સ બનાવવાનું ધ્યાનમાં નથી રાખતો. એ મારો દ્રષ્ટિકોણ નથી. કોઈ પણ ફિલ્મ મેકરનો ઉદ્દેશ રૅકોર્ડ બનાવવાનો નથી હોતો. ખાસ કરીને મારા માટે કારણ કે હું સ્ટોરીને લોકો સમક્ષ લાવવાને મહત્વ આપુ છું. મારી ફિલ્મોને મળતી સફળતાથી હું એવી ફિલ્મો બનાવવા માગુ છું જેને લોકો સુધી પહોંચાડી શકુ. ભરપૂર મનોરંજન સાથે ફિલ્મની સ્ટોરીનો પ્લોટ યોગ્ય સ્થાને હોય એ પણ જરૂરી છે.’

ali abbas zafar bollywood news Bharat