ફિલ્મોની વાત આવે છે ત્યારે હું ચુઝી બની જાઉં છું : અદા શર્મા

03 May, 2020 06:18 PM IST  |  Mumbai Desk | Agencies

ફિલ્મોની વાત આવે છે ત્યારે હું ચુઝી બની જાઉં છું : અદા શર્મા

અદા શર્મા

અદા શર્મા કહે છે કે જ્યારે ફિલ્મોની વાત આવે છે ત્યારે હું બહુ ચુઝી બની જાઉં છું. ૨૦૦૮માં આવેલી ‘૧૯૨૦’થી અદાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે ‘હમ હૈ રાહી કાર કે’, ‘કમાન્ડો’, ‘બાયપાસ રોડ’ અને ‘ફિર’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. ફિલ્મોની ચૉઇસ વિશે અદાએ કહ્યું હતું કે ‘હા, ફિલ્મોને પસંદ કરવાની વાત આવે ત્યારે હું ચુઝી બની જાઉં છું. હું એવી ફિલ્મો કરવા માગું છું જેને હું જોવા માગતી હોઉં. મેં જેટલા પણ રોલ ભજ વ્યા છે એનાથી અલગ રોલ હું કરવા માગું છું. મેં ‘૧૯૨૦’થી શરૂઆત કરી હતી. હું નસીબદાર છું કે અમારી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓને એ ચાન્સ નથી મળ્યો જે મને મારી પહેલી ફિલ્મમાં મળ્યો છે. હું મારી દરેક ફિલ્મોમાં હટકે કામ કરવા માગું છું, કારણ કે લોકો પણ એ જ જોવા માગતા હોય છે કે અદા શર્મા શું અલગ કરવાની છે. એવામાં જો હું એક જ પ્રકારના રોલ કરીશ તો લોકો કહેશે કે આ તો કોઈ પણ કરી શકે છે. એથી વર્તમાનમાં શૉર્ટ ફિલ્મ જેમાં મેં કામ કર્યું છે જેવી કે ‘ટીંડે’, ‘મોહ’ અને મ્યુઝિક વિડિયો હોય, મારી એ જ ઇચ્છા હોય છે કે મેં જે પણ ભૂમિકા ભજવી છે એ અન્ય કલાકારો કરતાં અલગ હોય.’

bollywood bollywood news bollywood gossips adah sharma