મારી નજીકના લોકોને હાનિ પહોંચાડવામાં આવે એ ખોટું છે : વરુણ

10 April, 2019 11:21 AM IST  | 

મારી નજીકના લોકોને હાનિ પહોંચાડવામાં આવે એ ખોટું છે : વરુણ

વરુણ ધવન

વરુણ ધવને જણાવ્યું હતું કે તે સેલિબ્રિટી હોવાથી તેની સાથે જોડાયેલા લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવે તો એ અયોગ્ય કહેવાય. તાજેતરમાં જ વરુણની એક ફૅન તેને ન મળી શકવાથી ખાસ્સી રોષે ભરાઈ હતી એટલું જ નહીં, તેણે વરુણની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મુદ્દો વધુ ચર્ચામાં આવતાં પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના વિશે વરુણે કહ્યું હતું કે ‘પોલીસ આ સંદર્ભે યોગ્ય તપાસ કરી રહી છે એથી આ ઘટના વિશે હું કંઈ ન બોલી શકું. આ વાતને બાજુએ મૂકીને હું એટલું જરૂર કહીશ કે આ ખૂબ જ અયોગ્ય કહેવાય.

આ પણ વાંચો :કરણ કાપડિયા માટે બ્લૅન્કનું ગીત શૂટ કર્યું બનેવી અક્ષયકુમારે

મારા સેલિબ્રિટી સ્ટેટસની કિંમત મારી સાથે સંકળાયેલા લોકોએ શું કામ ચૂકવવી પડે? એ ખરેખર ખોટું છે. ફૅન્સની વાત આવે છે ત્યારે હું હંમેશાં તેમને મળવાનો પ્રયાસ કરું છું. હું તેમના માટે સમય કાઢીને તેમને મળવા પણ જાઉં છું. હું મારા ફૅન્સને એટલો જ પ્રેમ કરું છું જેટલો તેઓ મને પ્રેમ કરે છે. જોેકે આવી અપ્રિય ઘટનાઓને સાંખી લેવામાં નહીં આવે.’

varun dhawan bollywood news