12 July, 2019 09:27 AM IST |
સોનાક્ષી સિંહા
ઉત્તર પ્રદેશના મોરાદાબાદની પોલીસ ટુકડી છેતરપિંડીના કેસમાં અભિનેત્રી સોનાક્ષી સિંહાનું સ્ટેટમેન્ટ લેવા ગઈ કાલે સાંજે મુંબઈ પહોંચી હતી. સોનાક્ષી સિંહા ૨૦૦૮ની ૩૦મી સપ્ટેમ્બરે યોજાનારા એક કાર્યક્રમમાં હાજર રહેવા કાર્યક્રમના આયોજકો પાસેથી ૩૭ લાખ રૂપિયા લીધા બાદ પણ કાર્યક્રમમાં હાજર રહી નહોતી, જેને પગલે ઉત્તર પ્રદેશના મોરાદાબાદના કાટઘર પોલીસ સ્ટેશનમાં તેની તથા અન્ય ચાર જણા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો એમ જુહુ પોલીસ સ્ટેશનના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
આ પણ વાંચો : ધ લાયન કિંગ: સિમ્બા બન્યો આર્યન ખાન, શાહરુખે કહ્યું મારા જેવો છે અવાજ
ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ. પી. સિંહે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની પોલીસ ટીમ સોનાક્ષી સિંહાનું સ્ટેટમેન્ટ લેવા મુંબઈ આવી છે અને જો તે સહકાર નહીં આપે તો તેની વિરુદ્ધ સમન્સ ઇશ્યુ કરવામાં આવશે.