ઠાકરેની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે : નવાઝુદ્દીન સિદ્દીકી

02 November, 2019 05:29 PM IST  |  મુંબઈ ડેસ્ક | સોનિલ દેઢિયા

ઠાકરેની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે : નવાઝુદ્દીન સિદ્દીકી

મુંબઈ : નવાઝુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે ‘ઠાકરે’ની સીક્વલની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીને શિવસેના પ્રમુખ સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેના પાત્રને પડદા પર સાકાર કર્યું હતું. આ ફિલ્મને સંજય રાઉતે પ્રોડ્યુસ કરી હતી. એવી અફવા ઊડી હતી કે આ ફિલ્મની સીક્વલ નહીં બને. એવામાં આ અફવા પર વિરામ મૂકતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘પહેલેથી જ આ ફિલ્મને બે ભાગમાં બનાવવાની યોજના હતી. એવામાં આ વિચારને પડતો મૂકવાનો સવાલ જ નથી ઊઠતો. આ ફિલ્મને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. એના બીજા પાર્ટની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. થોડા મહિના પહેલાં મેં સંજય રાઉત સાથે આ વિષયમાં ચર્ચા કરી હતી. તેમણે મને ખાતરી આપી હતી કે આ ફિલ્મનો બીજો ભાગ નક્કી બનાવવામાં આવશે. મેકર્સ ઇલેક્શનમાં વ્યસ્ત હતા અને હું મારા અન્ય પ્રોજેક્ટમાં બિઝી હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ કરીએ એ પહેલાં આ ફિલ્મના કૅરૅક્ટરને ભજવવા માટે મારે ફરીથી એ પાત્રમાં ઢળવું પડશે. એમાં થોડો સમય પણ લાગશે.’

bollywood bollywood news bollywood gossips nawazuddin siddiqui