આસારામ સાથે નાના પાટેકરની સરખામણી કરી તનુશ્રી દત્તાએ

09 January, 2020 12:50 PM IST  |  Mumbai

આસારામ સાથે નાના પાટેકરની સરખામણી કરી તનુશ્રી દત્તાએ

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તાએ હાલમાં જ નાના પાટેકરને આસારામ સાથે સરખાવ્યો છે. ૨૦૧૮માં સગીરવયની બાળકીના બળાત્કારના કૅસમાં આસારામને સજા આપવામાં આવી હતી. નાના પાટેકર વિરુદ્ધ સેક્સયુઅલ હૅરેસમેન્ટની તનુશ્રીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તેમના રીપોર્ટમાં જણાવ્યું છે કે તનુશ્રી સાથે આવું થયું હોય એવા તેમને એક પણ પ્રૂફ નથી મળ્યાં.

આ વિશે તનુશ્રીએ કહ્યું હતું કે ‘તમારી પાસે પૈસા હોય તો તમને ન્યાય અને રિસ્પેક્ટ મળે છે અને તમારી પાસે પૈસા ન હોય તો તમને કંઈ નથી મળતું. તેની પાસે પૈસા છે અને આ પૈસા તેના નામ ફાઉન્ડેશનમાંથી મળે છે. ગરીબ ખેડૂતોને મદદ કરવા માટે તે કોર્પોરેટ સેક્ટર્સમાંથી કરોડો રૂપિયા મેળવે છે.

આ પણ વાંચો : અક્ષયકુમાર નવી ઍડને કારણે વિવાદમાં ફસાયો

તેણે નાના ઘરમાં રહીને એક ગરીબ વ્યક્તિની ઇમૅજ ક્રિએટ કરી છે. આ સૌથી મોટું જૂઠ છે અને આ દ્વારા તેણે ખૂબ જ મોટો દેખાડો કર્યો છે. લોકોને ઉલ્લુ બનાવવા ખૂબ જ સરળ છે. તમારે ફક્ત ગાંધી ટોપી અને સફેદ કુર્તો પહેરવાનો રહેશે. આસારામ પણ સફેદ કુર્તો પહેરતા હતા. તે મંદિરમાં ભગવાનની સામે પગે લાગતા હતા અને ત્યાર બાદ તેઓ પોતે જ સંત બની ગયા હતા. નાના પાટેકર પણ લોકો માટે ઘર બનાવે છે કે નહીં અથવા તો ખેડૂતોને મદદ કરે છે કે નહીં એ જોવા માટે કોણ ગયું?’

tanushree dutta bollywood news nana patekar entertaintment asaram bapu