તાહિરા કશ્યપે રેગ્યુલર ચેક-અપ્સ અને મેમોગ્રાફી કરવાની આપી સલાહ

24 March, 2019 10:10 AM IST  | 

તાહિરા કશ્યપે રેગ્યુલર ચેક-અપ્સ અને મેમોગ્રાફી કરવાની આપી સલાહ

તાહિરા કશ્યપ (ફાઈલ ફોટો)

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપનું કહેવું છે કે દરેકે રેગ્યુલર ચેક-અપ્સની સાથે મેમોગ્રાફી પણ કરાવવી જોઈએ. તાહિરાને ગયા વર્ષે બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થયુ હતું જેની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી હતી. ટ્રીટમેન્ટ દરમ્યાન પણ તે કામમાં ખૂબ સક્રિય હતી. લોકોને પોતાના આરોગ્યની પૂરતી દરકાર લેવાની સલાહ આપતાં ટ્વિટર પર તાહિરાએ ટ્વીટ કર્યું હતું કે ‘મને એવો અહેસાસ થયો કે હું લોકોને અપીલ કરું કે તેઓ નિયમિતરૂપે પોતાના સ્વાસ્થ્યની યોગ્ય સંભાળ લે. ડૉક્ટર સલાહ આપે તો મેમોગ્રામ જરૂર કરાવો. કોઈ પણ લક્ષણ તરફ દુર્લક્ષ ન કરો. બીમારીનું જલદી નિદાન થતાં સારવારમાં ઘણી મદદ મળે છે. તમારું પૂરતું ધ્યાન આપો. બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ જરૂરી છે.’

આ પણ વાંચોઃ 'વર્લ્ડ કેન્સર ડે':તાહિરા કશ્યપે શૅર કરી પ્રેરણાદાયી પોસ્ટ

ayushmann khurrana bollywood news