દરેક વસ્તુ પર વધારે પડતો વિચાર કરવાનું બંધ કરવું જોઈએ : સુશાંત

10 February, 2019 10:26 AM IST  | 

દરેક વસ્તુ પર વધારે પડતો વિચાર કરવાનું બંધ કરવું જોઈએ : સુશાંત

સુશાંત સિંહ રાજપૂત

સુશાંત સિંહ રાજપૂતનું કહેવું છે કે કોઈ પણ વસ્તુઓને લઈને વધારે પડતું વિચારવું ન જોઈએ. જે પ્રવૃત્તિમાં આપણને રસ હોય એ કરવા વિશે સુશાંતે કહ્યું હતું કે ‘આપણને એક જ લાઇફ મળી છે અને આપણે ઘણુંબધું કરવાનું હોય છે. આપણે દરેક વસ્તુ પર વધારે પડતો વિચાર કરવાનું બંધ કરવું જોઈએ. જે વસ્તુઓમાં આપણને રસ હોય એ વસ્તુઓ કરવા પર ધ્યાન અને એનર્જી આપવાં જોઈએ.’

આ પણ વાંચો : રણબીર જેવી સાદગી જોવા મળવી ખૂબ મુશ્કેલ : વાણી

પોતાની પાસે ઘણીબધી પ્રવૃત્તિઓ કરવા માટે છે એ સંદર્ભે સુશાંતે કહ્યું હતું કે ‘હું હાલમાં યોગ્ય સ્થાને છું, કારણ કે હું વર્તમાનમાં જીવવા માગું છું. એવી વસ્તુઓ કરવા માગું છું જેનાથી કોઈને પણ ઈજા ન થાય. મેં જીવનમાં જે બનવાનું વિચાર્યું એ સ્થાને આજે હું પહોંચી ગયો છું. મને જેનાથી ખુશી મળે છે અને જે વસ્તુઓ કરવામાં મને રસ છે એના માટે હું સમય આપું છું. જો હું ખુશ રહીશ તો મારી સાથે જોડાયેલા લોકો પણ ખુશ રહેશે.’

sushant singh rajput bollywood news