અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નના સમાચારથી નારાજ છે સોનમ?

06 March, 2019 09:40 AM IST  | 

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નના સમાચારથી નારાજ છે સોનમ?

સોનમ કપૂર

અર્જુન અને મલાઇકા અરોરા રિલેશનશિપમાં છે એ જગજાહેર છે. તેઓ હવે બહુ જલદી લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. તેઓ ચર્ચમાં લગ્ન કરશે એવી પણ વાતો બહાર આવી હતી. જોકે તેમના લગ્નના સમાચારથી સોનમ ખુશ નથી એવા સમાચાર આવી રહ્યા છે. ૨૦૧૬માં મનીષ મલ્હોત્રાની બર્થ-ડે પાર્ટીમાં મલાઇકા ખૂબ જ નશામાં હતી અને સોનમ તેને મદદ કરવા માટે ગઈ હતી.

આ પણ વાંચો : માર્વલ સ્ટુડિયોઝની આગામી ફિલ્મમાં બપ્પી લાહિરીનાં ગીતનો સમાવેશ

જોકે નશામાં ધુત મલાઇકાએ તેને ત્યાંથી જતી રહેવા કહ્યું હતું. તેના ઉદ્ધતાઈભર્યા વર્તનથી સોનમ તેનાથી દૂર રહે છે. જોકે હવે તેનો ભાઈ મલાઇકા સાથે રિલેશનશિપમાં છે અને તેમના લગ્નના સમાચાર સાંભળીને સોનમ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.

sonam kapoor malaika arora arjun kapoor bollywood news