લોકોના પ્રેમને કારણે સિંઘમ આજે પણ ગરજે છે : અજય

24 July, 2019 11:35 AM IST  |  મુંબઈ

લોકોના પ્રેમને કારણે સિંઘમ આજે પણ ગરજે છે : અજય

અજય દેવગન

‘સિંઘમ’ની રિલીઝને ૮ વર્ષ પૂરા થતાં અજય દેવગને જણાવ્યું હતું કે ‘સિંઘમ’ આજે પણ ગર્જના કરે છે. આ ફિલ્મનો ડાયલૉગ ‘આતા માજી સટકલી’ ખૂબ ફૅમસ થયો હતો. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અજય દેવગને બાજીરાવ સિંઘમનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને લોકોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો. ૨૦૧૧ની ૨૨ જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : હૃતિક અને ટાઇગરે વૉર માટે પોર્ટુગલના સૌથી ઊંચા પર્વત પર બાઇક સ્ટન્ટ કર્યા

આ ફિલ્મનાં પોતાનાં કૅરૅક્ટરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી કે ‘ખોટુ શું છે એ જાણવાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ એને સુધારવાથી પડે છે. અદ્ભુત ડાયલૉગ્સ, કારની ટક્કર, અવર્ણનિય ઍક્શન અને નિર્ભય બાજીરાવ સિંઘમને ૨૨ જુલાઈએ ૮ વર્ષ પૂરાં થયા છે. આ લોકોનો પ્રેમ છે કે ‘સિંઘમ’ હજી પણ ગર્જના કરે છે’

ajay devgn bollywood news