એક સમયે નશાખોર હતા સંજય દત્ત, હવે લોકોને આપી રહ્યા છે આવી સલાહ

27 June, 2019 05:01 PM IST  |  મુંબઈ

એક સમયે નશાખોર હતા સંજય દત્ત, હવે લોકોને આપી રહ્યા છે આવી સલાહ

ફિલ્મ અભિનેતા સંજય દત્તે પોતાના જીવનમાં ઘણા ચડાવ ઉતાર જોયા છે. સંજય દત્ત પોતાના જીવનમાં ઘણા પ્રકારના સમયમાંથી પસાર થઈ ચૂક્યા છે, અને હજી પણ તે પોતાનું જીવન સુધારવા પ્રયત્ન કરી રહ્યા છે. અને સંજય દત્ત પર બાયોપિક બન્યા બાદ હવે તેમના જીવન વિશે, તેમના ભૂતકાળ વિશે બધા જ જાણે છે. જો કે સંજય દત્ત વિશે ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કે તાજેતરમાં જ તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શૅર કરીને લોકોને નશાની આદતથી દૂર રહેવા માટે સલાહ આપી છે.

ડ્રગ્સથી દૂર રહેવાની સલાહ

આ વીડિયો શૅર કરીને સંજય દત્તે કહ્યું છે કે,'એવા લોકોથી દૂર રહો જે તમને કોઈ પણ પ્રકારનો નશો કરવા માટે કહે છે.' આ વિશે વાત કરતા સંજય દત્ત કહે છે કે,'હું ખુદ ડ્રગ્સનો નશો કરતો હતો. એટલે તમને આ ગાંડપણ પ્રત્યે ચેતવવા એ મારો ધર્મ સમજું છું.' આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સાથે ડ્રગ ફ્રી ઈન્ડિયા અભિયાનનો પ્રારંભ કરવો એ મારા માટે એક સારો અનુભવ છે. આજે વર્લ્ડ ડ્રગ્ઝ ડે પર આપણે આ અભિયાનને આગળ વધારીએ.

ઉલ્લેખનીય છે કે સંજય દત્તની નશાની આદતને તેમના પર બનેલી બાયોપિક એટલે કે ફિલ્મ સંજુમાં પણ દર્શાવાઈ હતી. આ ફિલ્મ સંજય દત્તના જીવન પર બની હતી. સંજય દત્તા તાજેતરમાં જ રિલીઝ થયેલી કરણ જોહરની ફિલ્મ કલંકમાં દેખાયા હતા. આ ઉપરાંત હવે સંજય દત્ત પાનીપત, તોરબાઝ અને પ્રસ્સથનમ છે.

sanjay dutt bollywood entertaintment