છત્રપતિ શિવાજી મહારાજની ટ્રિલજી બનાવી રહ્યો છે રિતેશ દેશમુખ

20 February, 2020 04:41 PM IST  |  Mumbai Desk

છત્રપતિ શિવાજી મહારાજની ટ્રિલજી બનાવી રહ્યો છે રિતેશ દેશમુખ

‘સૈરાટ’ના ડિરેક્ટર નાગરાજ મંજુલેની સાથે મળીને રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજની ટ્રિલજી બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં અજય-અતુલનું મ્યુઝિક રહેશે. શિવાજી મહારાજનો જન્મ ૧૬૩૦ની ૧૯ ફેબ્રુઆરીએ થયો હતો. આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થવાની છે. ગઈ કાલે તેમની જયંતી નિમિત્તે ફિલ્મની જાહેરાત કરતાં ટ્‍‍વિટર પર નાગરાજ મંજુલેએ ટ્વીટ કર્યું હતું કે ‘મારા માટે આ સપનું પૂરું કરવા સમાન છે. શિવાજી મહારાજની જયંતી નિમિત્તે આ વાતની જાહેરાત કરતાં ખુશી થાય છે કે રિતેશ દેશમુખ અને અજય-અતુલ સાથે મળીને અમે લઈને આવી રહ્યા છીએ શિવત્રયી. શિવાજી. રાજા શિવાજી. છત્રપતિ શિવાજી. શિવાજીની જયંતી નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છા.’

riteish deshmukh bollywood bollywood news bollywood gossips