ફારાહ, રવીના અને ભારતી સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી પોલીસ-ફરિયાદ

27 December, 2019 12:33 PM IST  |  Mumbai

ફારાહ, રવીના અને ભારતી સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી પોલીસ-ફરિયાદ

ફારાહ ખાન

અમ્રિતસરમાં ફારાહ ખાન, રવીના ટંડન અને કૉમેડીયન ભારતી સિંહ વિરુદ્ધ લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાને કારણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

એક કાર્યક્રમમાં કૉમેડી સેગ્મેન્ટમાં તેમણે ક્રિશ્ચન ધર્મ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. એને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઇ છે.

આ જ કારણસર આ ત્રણેયની વિરુદ્ધ અમ્રિતસરમાં ફરિયાદ દાખલ કરી હોવાની પુષ્ટિ ત્યાનાં સિનીયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ વિક્રમ જીત દુગ્ગલે કરી છે. જોકે આ ત્રણેય પર મુકવામાં આવેલા આરોપો પર તેમનાં વતી હજી સુધી કોઈ સ્પષ્ટિકરણ આવ્યુ નથી. ભારતી તેનાં હઝબન્ડ સાથે નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે એમ્સ્ટરડેમ ગઈ છે. રવીના તાજેતરમાં અમ્રિતસરનાં ગોલ્ડન ટેમ્પલમાં જોવા મળી હતી. જોકે ફારાહે પણ આ સંદર્ભે કંઈ નિવેદન નથી આપ્યુ.

farah khan raveena tandon bharti singh bollywood news