રિશી કપૂર જલદી જ ઘરે પાછા ફરશે : રણધીર કપૂર

01 May, 2019 09:57 AM IST  |  ન્યુ યૉર્ક

રિશી કપૂર જલદી જ ઘરે પાછા ફરશે : રણધીર કપૂર

રણધીર કપૂર અને રિશી કપૂર

રણધીર કપૂરે જણાવ્યું હતું કે રિશી કપૂર ટૂંક સમયમાં જ ઘરે પાછા ફરશે. ફિલ્મમેકર રાહુલ રવૈલે પણ કહ્યું હતું કે રિશી કપૂર કૅન્સર-ફ્રી થઈ ગયા છે. રિશી કપૂર ઘણા મહિનાઓથી ન્યુ યૉર્કમાં સારવાર લઈ રહ્યા છે. જોકે તેમણે કદી પણ પોતાની બીમારી વિશે ફોડ પાડ્યો નહોતો. રિશી કપૂરની સારવાર દરમ્યાન નીતુ સિંહ ન્યુ યૉર્કમાં તેમની પડખે જ ઊભાં હતાં. રણબીર કપૂર છાશવારે ન્યુ યૉર્કમાં ડૅડીને મળવા જતો રહે છે. રિશી કપૂરની હેલ્થ વિશે રણધીર કપૂરે કહ્યું હતું કે ‘રિશી કપૂર ન્યુ યૉર્કમાં સારવાર લઈ રહ્યા છે. તેમની તબિયત હવે સુધારા પર છે. તેઓ કૅન્સર-ફ્રી થઈ ગયા છે. તેમને ટ્રીટમેન્ટનો કોર્સ પૂરો કરવાનો રહેશે. એથી તેઓ થોડા મહિનામાં ઇન્ડિયા પાછા ફરશે.’

આ પણ વાંચો : સ્ટુડન્ટ ઑફ ધ યર 2નું હૂક અપ સોંગ રિલીઝ, આલિયાનો જોવા મળ્યો સિઝલિંગ અવતાર

રિશી કપૂર સાથેનો ફોટો ફેસબુક પર શૅર કરીને ફિલ્મમેકર રાહુલ રવૈલે પણ પોસ્ટ કર્યું હતું કે ‘રિશી કપૂર હવે કૅન્સર-ફ્રી થઈ ગયા છે.’

randhir kapoor rishi kapoor bollywood news