20 February, 2019 11:44 AM IST |
અક્ષયકુમાર
અક્ષયકુમારને ગર્વ છે કે મેન્સ્ટ્રુએશન એક ચળવળ બની ગઈ છે. તેણે લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે ‘પૅડમૅન’ બનાવી હતી. જોકે આ ફિલ્મ બાદ આ બાબતને ખૂબ જ મહત્વ આપીને એ વિશે કાર્ય કરવામાં આવી રહ્યું છે. દરેક રાજ્યની સરકાર તેમ જ જે-તે વ્યક્તિ પણ તેનાથી બનતા તમામ પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વ મહિલા દિવસે અક્ષયકુમાર ભારતના દરેક ‘પૅડ હીરોઝ’ સાથે જોવા મળશે.
આ પણ વાંચો : ફિલ્મમેકિંગના દરેક ક્ષેત્રમાં કામ કરવું છે અર્જુન રામપાલને
આ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારી ‘પૅડમૅન’ની રિલીઝને એક વર્ષ કરતાં પણ વધુ થઈ ગયું છે. મને એ જોઈને ખૂબ જ ગર્વ થાય છે કે આ એક ચળવળ બની ગઈ છે અને દરેક વ્યક્તિ ખૂબ જ સિરિયસલી એને લઈ રહી છે.’