મને ગર્વ છે કે મેન્સ્ટ્રુએશન વિશેની જાગરૂકતા એક ચળવળ બની ગઈ છે

20 February, 2019 11:44 AM IST  | 

મને ગર્વ છે કે મેન્સ્ટ્રુએશન વિશેની જાગરૂકતા એક ચળવળ બની ગઈ છે

અક્ષયકુમાર

અક્ષયકુમારને ગર્વ છે કે મેન્સ્ટ્રુએશન એક ચળવળ બની ગઈ છે. તેણે લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે ‘પૅડમૅન’ બનાવી હતી. જોકે આ ફિલ્મ બાદ આ બાબતને ખૂબ જ મહત્વ આપીને એ વિશે કાર્ય કરવામાં આવી રહ્યું છે. દરેક રાજ્યની સરકાર તેમ જ જે-તે વ્યક્તિ પણ તેનાથી બનતા તમામ પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વ મહિલા દિવસે અક્ષયકુમાર ભારતના દરેક ‘પૅડ હીરોઝ’ સાથે જોવા મળશે.

આ પણ વાંચો : ફિલ્મમેકિંગના દરેક ક્ષેત્રમાં કામ કરવું છે અર્જુન રામપાલને

આ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મારી ‘પૅડમૅન’ની રિલીઝને એક વર્ષ કરતાં પણ વધુ થઈ ગયું છે. મને એ જોઈને ખૂબ જ ગર્વ થાય છે કે આ એક ચળવળ બની ગઈ છે અને દરેક વ્યક્તિ ખૂબ જ સિરિયસલી એને લઈ રહી છે.’

akshay kumar bollywood news