શિકારાની નિંદા કરનારા લોકો ગધેડા છે : વિધુ વિનોદ ચોપડા

13 February, 2020 01:01 PM IST  |  Mumbai Desk

શિકારાની નિંદા કરનારા લોકો ગધેડા છે : વિધુ વિનોદ ચોપડા

વિધુ વિનોદ ચોપડાએ તે લોકોને ગધેડા કહ્યાં છે જેઓ તેમની ‘શિકારા’ની નિંદા કરી રહ્યાં છે. કાશ્મીરી પંડિતોને જે રીતે કાશ્મીરમાંથી પલાયન થવુ પડ્યુ હતું એ વાસ્તવિક ઘટનાને આ ફિલ્મમાં દેખાડવામાં આવી છે. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે કાશ્મીરી પંડિતોની વ્યથાને દેખાડીને વિધુ વિનોદ ચોપડા પૈસા કમાવવા માગે છે. એ તમામ લોકોને જડબાતોડ જવાબ આપતાં વિધુ વિનોદ ચોપડાએ કહ્યું હતું કે ‘મેં ‘3 ઇડિયટ્સ’ને પ્રોડ્યુસ કરી હતી, જેણે રિલીઝનાં પહેલા જ દિવસે ૩૩ કરોડ રૂપિયાનું કલેક્શન મેળવ્યુ હતું. અમે એ વાત સારી રીતે જાણતાં હતાં કે ‘શિકારા’ પહેલા દિવસનો બિઝનેસ ૩૦ લાખની આસપાસ હશે. આ ફિલ્મ બનાવવામાં અમને અગિયાર વર્ષ લાગ્યા છે. મેં એક ફિલ્મ બનાવી જેણે પહેલા જ દિવસે ૩૦ કરોડ રૂપિયા મેળવ્યા હતાં અને મારી મમ્મીની યાદમાં મેં ‘શિકારા’ બનાવી જે ૩૦ લાખનું કલેક્શન કરી શકી હતી એને એમ છતાં હું કાશ્મીરનો ફાયદો ઉઠાવી રહ્યાં છે એવું લોકો કહે ત્યારે મને ખૂબ જ ફની લાગે છે. મને લાગે છે કે જે લોકો આવું વિચારી રહ્યા છે તેઓ ગધેડા છે. એથી હું તમને કહેવા માગું છું કે ગધેડા ના બનો. પહેલા આ ફિલ્મ જુઓ અને બાદમાં કોઈ નિર્ણય પર આવો.’

vidhu vinod chopra bollywood bollywood news bollywood gossips