09 January, 2020 12:32 PM IST | Mumbai
નિતેશ તિવારી
બૉલીવુડમાં નિતેશ તિવારીને કારણે કંગના રનોટને લગ્ન કરવા માટે પ્રેરણા મળી છે અને તે પણ હવે સેટલ થવાનું પ્લાનિંગ કરી રહી છે. કંગનાની આગામી ફિલ્મ ‘પંગા’ને અશ્વિની અય્યર તિવારીએ ડિરેક્ટ કરી છે. તેના પતિ નિતેશ તિવારી વિશે વાત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને હંમેશાંથી એવું લાગ્યું છે કે તમારા લેવલની વ્યક્તિ શોધવી ખૂબ જ મુશ્કેલ છે. જોક નિતેશ તિવારીને મળ્યા બાદ લગ્ન વિશેના મારા વિચારો બદલાઈ ગયા છે. તેઓ તેની પત્ની ખૂબ જ દિલથી સપોર્ટ કરે છે. લગ્ન મારા માટે હવે શક્ય હોય એવું લાગે છે.’