12 January, 2020 10:58 AM IST | Mumbai Desk
અક્ષયકુમારની સામે ઔરંગાબાદમાં પણ હવે ફરિયાદ કરવામાં આવી છે. તેણે એક વૉશિંગ પાવડરની ઍડમાં મરાઠા વૉરિયરનું પાત્ર ભજવ્યું છે. આથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી હોવાથી તેમણે ફરિયાદ કરી છે. સૌથી પહેલાં વરલીમાં તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. હવે, નાંદેદના સંભાજી બિગ્રેડ દ્વારા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. અક્ષયકુમારને ઘણીવાર સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે. બૉલીવુડને લઈને આજકાલ ઘણી વ્યક્તિ પોલીસ ફરિયાદ કરતી જોવા મળી રહી છે.