11 February, 2019 10:14 AM IST |
માધુરી દીક્ષિત નેને
માધુરી દીક્ષિત નેનેએ જણાવ્યું હતું કે તેને લોકો માત્ર કમર્શિયલ સિનેમા કરવાની જ સલાહ આપતા હતા, કેમ કે અન્ય પ્રકારના સિનેમામાં તે નિષ્ફળ થશે. જોકે માધુરીએ અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું હતું. પોતાને આપવામાં આવેલી શિખામણ વિશે માધુરીએ કહ્યું હતું કે ‘મારી કરીઅરની શરૂઆતમાં મેં અનેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. લોકો મને એમ કહેતા હતા કે મારે માત્ર કમર્શિયલ ફિલ્મો જ કરવી જોઈએ, કેમ કે હું માત્ર એના માટે જ બની છું. લોકો કહેતા હતા કે હું આર્ટ ફિલ્મો નહીં કરી શકું, પરંતુ મેં ‘મૃત્યુદંડ’ જેવી ફિલ્મ કરી. એ કંઈ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ લોકોએ મને એ અવતારમાં પસંદ કરી હતી. આ જ કારણસર મને આવી ફિલ્મો કરવાની પણ તક મળી હતી. સફળતા કે નિષ્ફળતાની પરવા કર્યા વગર સતત કામ કરતા રહેવું જોઈએ.
આ પણ વાંચો : તનુશ્રી દત્તાને મળ્યું હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં સ્પીચ આપવાનું આમંત્રણ
જો તમે નિષ્ફળ થાઓ તો નાસીપાસ ન થવું. જો તમે સફળ થાઓ તો તમને કામ કરવાની વધુ તકો મળે છે. હું એટલું જરૂર કહીશ કે મહિલાઓ માટે રિસ્ક લેવું એ સારી વાત છે.’