07 January, 2020 01:06 PM IST | Mumbai
અક્ષયકુમાર
અક્ષયકુમારે જણાવ્યું હતું કે ‘લક્ષ્મી બૉમ્બ’ની પૂરી ટીમ વચ્ચે કોઈ મતભેદ નથી રહ્યો. આ ફિલ્મનાં ડિરેક્ટર રાઘવ લૉરેન્સનો ફિલ્મની ટીમ સાથે વિવાદ થતાં તેમણે ફિલ્મ છોડી દીધી હતી. જોકે અક્ષયકુમારે સમજૂતિ કરાવતાં મતભેદ દૂર થયા હોવાની વાત બહાર આવી હતી. ફિલ્મનું પોસ્ટર રાઘવની જાણ બહાર રિલીઝ કરવામાં આવ્યુ હતું. એથી નારાજગી વ્યક્ત કરતાં રાઘવે ફિલ્મથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. આ વિશે પૂછવામાં આવતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘મને આ સંદર્ભે ચોક્કસ માહિતી નથી. પ્રોડ્યુસર શબીના ખાન અને રાઘવે પરસ્પર ચર્ચા કરીને મુદ્દાનો ઉકેલ કાઢયો હતો.
આ પણ વાંચો : JNUમાં થયેલી હિંસાને લઈને બૉલીવુડનો ફૂટ્યો આક્રોશ
હૉરર ફિલ્મોની વાત આવે તો એ વિષયમાં રાઘવ અદ્ભુત ડિરેક્ટર છે. એક ફિલ્મ મેકર તરીકે હું તેમને ખૂબ માન આપુ છું. એ ઘટના બાદ અમે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કર્યું હતું. જોકે ત્યારબાદથી એ વિષયની કોઈએ ચર્ચા નથી કરી. અમારી વચ્ચે હવે કોઈ મતભેદ નથી.’