કુશલ પંજાબીને લઈને તેના પેરન્ટ્સ અને વાઇફે કહ્યું આવું....

02 March, 2020 06:27 PM IST  |  Mumbai Desk

કુશલ પંજાબીને લઈને તેના પેરન્ટ્સ અને વાઇફે કહ્યું આવું....

કુશલ પંજાબીએ કરેલી આત્મહત્યા બાદ તેના પેરન્ટ્સ અને વાઇફ ઑડ્રી ડોલ્હેને જૉઇન્ટ સ્ટેટમેન્ટ આપતાં જણાવ્યું હતું કે તે ઇમોશનલી અને ફાઇનૅન્શિયલી સ્થિર હતો. તેના પરિવારમાં વિજય પંજાબી, પ્રિયા પંજાબી, રિતિકા પંજાબી અને ઑડ્રી ડોલ્હેન છે. કુશલે ૨૬ ડિસેમ્બર ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. એને કારણે તેના ફૅમિલી અને ફ્રેન્ડ્સ તો ખૂબ જ શૉકમાં છે. ત્યાર બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે તે ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. સાથે જ એવી પણ અફવા ઊડી હતી કે તેને પોતાના પરિવારની જરા પણ કાળજી નહોતી. કુશલને લઈને ફેલાયેલી તમામ અફવાઓને શાંત કરતાં તેનાં પેરન્ટ્સ અને વાઇફ ઑડ્રી ડોલ્હેને કહ્યું હતું કે ‘અનેક મીડિયામાં એવું કહેવામાં આવ્યું હતું કે કુશલની ફૅમિલીમાંથી જ કોઈ સદસ્યએ તેના વિશે આવી વાતો કહી હતી, અમે અહીં તમને જણાવવા માગીએ છીએ કે આ બધી નરી અફવાઓ છે અને એમાં કોઈ વાસ્તવિકતા નથી. કુશલ ખૂબ જ પ્રેમાળ પિતા હતો. તે પોતાના દીકરાની ખૂબ જ નજીક હતો. તે આર્થિક રીતે પણ વ્યવસ્થિત હતો. દુ:ખની આ ઘડીમાં આજે અમે બધાં એકસાથે ઊભાં છીએ. અમે બધાં તેને હંમેશાં સૌથી વધુ પ્રેમ કરનાર વ્યક્તિ તરીકે યાદ કરતાં રહીશું.’

bollywood entertaintment television news