પહેલી ઍક્શન ફિલ્મ કરવાને લઈને ઉત્સાહિત છે કાર્તિક આર્યન

10 February, 2020 01:01 PM IST  |  Mumbai Desk

પહેલી ઍક્શન ફિલ્મ કરવાને લઈને ઉત્સાહિત છે કાર્તિક આર્યન

કાર્તિક આર્યનને ઍક્શન ફિલ્મ મળતાં તે ખૂબ જ ઉત્સાહિત છે. તે જલદી જ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ના ડિરેક્ટર ઓમ રાઉતની ઍક્શન-થ્રિલરમાં જોવા મળશે. આ 3D ફિલ્મને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરશે. ફિલ્મને લઈને કાર્તિકે કહ્યું હતું કે ‘હું ઘણા સમયથી ઍક્શન ફિલ્મ કરવા માગતો હતો. આ વાત ભૂષણ સર સારી રીતે જાણતા હતા. મેં તાજેતરમાં જ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ જોઈ હતી. એનાં વિઝ્યુલ્સ અને નરેશનની સ્ટાઇલ જોઈને તો હું ખૂબ પ્રભાવિત થયો હતો. ઓમ રાઉતનો ઍક્શન પ્રતિનો દૃષ્ટિકોણ એ પણ 3D સ્ટાઇલમાં ખરેખર અદ્ભુત રહેવાનો છે. આ ફિલ્મમાં કામ કરવાને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું. સાથે જ મારી પહેલી ઍક્શન ફિલ્મને લઈને પણ હું આતુર છું.’

કાર્તિક આ ફિલ્મમાં બંધ બેસે છે એવું જણાવતાં ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટ લખવાની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે જ હું જાણતો હતો કે કાર્તિક આ રોલમાં બરાબર બંધ બેસે છે. તે આ ફિલ્મમાં છે એથી મને ખૂબ ખુશી છે.’

bollywood bollywood news bollywood gossips kartik aaryan