ધોનીનાં રિટાયરમેન્ટ વિશે ચર્ચા કરવાની શું જરૂર છે : જાવેદ અખ્તર

16 July, 2019 10:34 AM IST  |  મુંબઈ

ધોનીનાં રિટાયરમેન્ટ વિશે ચર્ચા કરવાની શું જરૂર છે : જાવેદ અખ્તર

જાવેદ અખ્તર

ક્રિકેટમાંથી મહેન્દ્ર સિંહ ધોની રિટાયર થવાનો છે એ વિશે ચર્ચા કરવાની જરૂર નથી એવુ જાવેદ અખ્તરે જણાવ્યું હતું. ન્યુ ઝીલૅન્ડ સામે વર્લ્ડ કપમાં થયેલી હાર બાદ કૅપ્ટન કૂલ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો છે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે. લતા મંગેશકરે પણ ધોનીને તાજેતરમાં જ સલાહ આપી હતી કે તે રિટાયર્ડ ન થાય.

ધોનીની પ્રશંસા કરતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘મિડલ ઑર્ડર બેટ્સમેન અથવા તો વિકેટકિપર એમ. એસ. ધોની પૂરી રીતે ડિપેન્ડેબલ અને ભરોસાને પાત્ર છે.

આ પણ વાંચો : શાહરુખ ખાનને ડૉક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરશે મેલબર્નની યુનિવર્સિટી

ધોનીની ગેમની જે અંડરસ્ટેન્ડિંગ છે એ ટીમ માટે ફાયદાકારક છે એનો વિરાટ કોહલી દ્વારા સ્વિકાર કરવો ખૂબ મોટી વાત છે. તેને હજી ઘણી બધી ક્રિકેટ મૅચ રમવાની છે. તેનાં રિટાયરમેન્ટ પર ચર્ચા કરવાની પણ શી જરૂર છે.’

javed akhtar ms dhoni bollywood news world cup 2019 lata mangeshkar