પંકજ ત્રિપાઠી મને વિચિત્ર ગણે છે : જાહ્નવી કપૂર

07 April, 2019 11:25 AM IST  | 

પંકજ ત્રિપાઠી મને વિચિત્ર ગણે છે : જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂરે જણાવ્યું હતું કે પંકજ ત્રિપાઠી તેને થોડી વિચિત્ર માને છે. જાહ્નવીએ એક શોમાં પંકજ સાથે થયેલી વાતચીત વિશે જણાવતાં કહ્યું હતું કે તેમના પ્રતિ તેને ખૂબ સન્માન છે. એક પાર્ટીમાં પંકજ ત્રિપાઠી ઍક્ટિંગ અને મટન બનાવવા વચ્ચેની સમાનતા વિશે વાતચીત કરી રહ્યો હતો ત્યારે જાહ્નવી પણ એમાં જોડાઈ હતી. આ વિશે વધુ જણાવતાં જાહ્નવીએ કહ્યું હતું કે ‘સર, તમે તો આઇસક્રીમ છો, તમામ લોકો તમને પસંદ કરે છે.

આ પણ વાંચો : સ્ટ્રૉન્ગ મહિલાઓને સમાજ નથી સ્વીકારતો : હુમા કુરેશી

મેં જ્યારે તેમને આવું કહ્યું ત્યારે તેમણે મને લુક આપ્યો હતો. તેમને કદાચ એવું લાગતું હશે કે હું વિચિત્ર છું, પરંતુ હા મારું માનવું છે કે તેઓ એક લેજન્ડરી ઍક્ટર છે અને પંકજ સર જેવું કોઈ જ નથી. હું મારી ફીલિંગ વ્યક્ત કરવા માટે રાહ જોઈ શકી નહીં અને મેં તરત જ તેમના પ્રતિ મારી ફીલિંગ જણાવી હતી.’

janhvi kapoor bollywood news