શું લગ્ન વિશે વિચારી રહ્યા છે જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટર?

11 September, 2019 12:38 PM IST  |  મુંબઈ

શું લગ્ન વિશે વિચારી રહ્યા છે જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટર?

જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર

જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરના દિમાગમાં લગ્ન કરવાનો પ્લાન હોય એવું લાગી રહ્યું છે. આ બન્નેએ ‘ધડક’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદથી તેમનાં લવ અફૅરની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે એને બન્નેએ કદી પણ નકાર નથી આપ્યો. થોડા સમય અગાઉ શાહિદ કપૂરનાં દીકરા ઝૈનનાં બર્થ-ડેમાં જાહ્નવી હાજર રહી હતી. એને કારણે પણ ચર્ચાને વેગ મળ્યો હતો.

આ પણ વાંચો : કાર્તિકના ગુસ્સાનો બદલો ચહેરા પર કૅક લગાવીને લીધો અનન્યાએ

જાહ્નવીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે ફૅન્સી કે રૉયલ નહીં પરંતુ પારંપરિક રીત-રિવાજની સાથે તિરુપતિમાં વિવાહ કરવા માગે છે. સાથે જ તે પણ કાંજીવરમ સાડી પહેરીને લગ્ન કરવા માગે છે. જાહ્નવીના આ પ્લાનિંગ પરથી લાગે છે કે ઇશાન સાથે લગ્ન કરવાનું તેના દિમાગમાં ચાલી રહ્યું છે.

janhvi kapoor ishaan khattar bollywood news