લૉકડાઉનમાં બાળકો એવી લાઇફ જીવે છે જેની તેમને કલ્પનાય નહોતી:મીરા રાજપૂત

03 May, 2020 06:30 PM IST  |  Mumbai Desk | Agencies

લૉકડાઉનમાં બાળકો એવી લાઇફ જીવે છે જેની તેમને કલ્પનાય નહોતી:મીરા રાજપૂત

મીરા રાજપૂત

મીરા રાજપૂતે લૉકડાઉનમાં ઘરે પુરાઈને રહેતાં બાળકોને લઈને જણાવ્યું હતું કે તેમને આ લાઇફ વિશે કલ્પના પણ નહીં હોય. શાહિદ કપૂર અને મીરા રાજપૂતને ઝૈન અને મીશા નામનાં બે બાળકો છે. બાળકો વિશે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને મીરાએ લખ્યું છે, ‘બાળકોને શાબાશી. દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરે છે. આ નાનકડા હીરોઝ ઘરમાં રહે છે. તેમને તો લાઇફનો એટલો અનુભવ પણ નથી. તેમની તો આખી દુનિયા જ બદલાઈ ગઈ છે. તેમને તો નિયમોની પણ કંઈ ગતાગમ નથી. તેઓ એક એવી લાઇફ જીવી રહ્યાં છે જેની તેમને કલ્પના સુધ્ધાં નહોતી. તેમને જે વસ્તુઓ પસંદ હતી એ બધી તેમની પાસેથી છીનવી લેવામાં આવી છે, જેમ કે સ્પોર્ટ્સ, ફ્રેન્ડ્સ સાથે ધમાલમસ્તી, સ્કૂલમાં જવાનું અથવા બાળક બનીને રહેવાનું. મોટેરાઓ તો કોઈની તબિયત સારી નથી કે મૃત્યુના સમાચાર વિશે જ ચર્ચા કરે છે. આ બધી બાબતો તેમના દિમાગમાં ફર્યા કરે છે. તેઓ દરરોજ સવારે જાગે છે અને આ બધી વસ્તુઓ સાથે તાલમેલ બેસાડે છે. એથી આપણા નાના હીરોઝ માટે છે આ, ‘આજ, આવતી કાલ અને હંમેશાં.’

bollywood mira rajput bollywood news bollywood gossips