મારી ફિલ્મો સાથે હું કદી પણ સમાધાન નહીં કરું : સની દેઓલ

22 April, 2019 10:37 AM IST  | 

મારી ફિલ્મો સાથે હું કદી પણ સમાધાન નહીં કરું : સની દેઓલ

સની દેઓલ

સની દેઓલનું કહેવું છે કે તે તેમની ફિલ્મો સાથે કદી પણ સમાધાન નહીં કરે. તે પોતાના દીકરા કરણ દેઓલને ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા લૉન્ચ કરી રહ્યો છે. ફિલ્મો વિશે વધુ જણાવતાં સની દેઓલે કહ્યું હતું કે ‘હું જે પણ ફિલ્મો બનાવીશ એની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરું. મારા દીકરા માટે મેં ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મ બનાવી છે. મેં એવી અનેક વસ્તુઓ કરી છે અથવા તો એવી જગ્યાઓ પર શૂટિંગ કર્યું છે કે જેને જોઈને લોકો ત્યાં શૂટિંગ કરવાનો વિચાર પડતો મૂકે. જોકે હું માનું છું કે જો વસ્તુઓ યોગ્ય રીતે, યોગ્ય દિશામાં કરવામાં આવે તો એમાં જરૂર સફળતા મળે છે. હું માત્ર ને માત્ર સારા કામમાં વિશ્વાસ રાખું છું.’

રીમેકના વધતા ટ્રેન્ડ અને સારી કન્ટેન્ટ પર ભાર મૂકતાં સની દેઓલે કહ્યું હતું કે ‘લોકોને થિયેટર્સ સુધી ખેંચી લાવવામાં ફિલ્મોની સારી કન્ટેન્ટનું યોગદાન રહ્યું છે. માર્કેટિંગના કારણે આજે દરેક જણ સફળ ફિલ્મોની રીમેક અથવા તો વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મો બનાવે છે. આ એક ટ્રેન્ડ બની ગયો છે. ઇન્ડસ્ટ્રી પણ હાલમાં આ રીતે જ કામ કરે છે. હું આ બધી વસ્તુઓને ફૉલો નથી કરતો.

આ પણ વાંચો : સ્ટિચીઝના ડાઘ રિમૂવ કરાવવા વિકી કૌશલ જશે અમેરિકા

કમનસીબી એ છે કે મને હજી સુધી ગ્રેટ કન્ટેન્ટ નથી મળી, નહીં તો મેં પણ ઘણી ફિલ્મો કરી હોત. જે વસ્તુ મને પસંદ પડી જાય એવી ઑફર મને નથી મળી. મારી પાસે હંમેશાં રીમેકની જ ઑફર આવી છે. મને હજી સુધી સારા કામની ઑફર નથી મળી. જોકે હું હજી પણ આશાસ્પદ છું. હું એવી ફિલ્મોનો ભાગ બનવા માગું છું જેની સ્ટોરી ગ્રેટ હોય અને લોકો પણ એ સ્ટોરીમાં ગુમ થઈ જાય.’

sunny deol bollywood news